દિયોદર તાલુકાના જાડા ગામે ઠાકોર સમાજના વડપગા પરિવારની કુળદેવી ચામુંડા માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો..આ કાર્યક્રમમા જાડા ગામે ચામુંડા માતાજી, ખોડિયાર માતાજી, હડકવાઈ માતાજી, મેલડી માતાજી, સગથ માતાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો.જાડા ગામે ઠાકોર સમાજના વડપગા પરિવાર દ્વારા ગામ ફરતે માતાજીની મૂર્તિઓની વરઘોડા યોજી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જ્યાં આજે દિયોદર ઠાકોર સમાજ સહિત ગામલોકો માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમા જોડાયા હતા..
આજે જાડા ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમા દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ સહિત વિવિધ આગેવાનો માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા.જાડા ગામે ઠાકોર સમાજના વડપગા પરિવારની કુળદેવી સહિત વિવિધ માતાજીના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મોહત્સવ કાર્યક્રમમા જાડા ગામના પ્રતાપજી વડપગા, ચંદુજી ઠાકોર, શિક્ષક પી કે ઠાકોર, પૂર્વ સરપંચ વેલાભાઈ ઠાકોર, પૂર્વ ડેપ્યુટી સરપંચ જહાજી ઠાકોર સહિત જાડા ગામના ઠાકોર વડપગા પરિવારના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો