ભારતીય ક્રિકેટ ટીમે રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટે વિજય નોંધાવ્યો છે. આ સાથે જ રોહિત શર્માની ટીમે પાંચ મેચની સીરિઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ટેસ્ટ સીરિઝની પાંચમી અને અંતિમ મેચ 7 માર્ચથી ધરમશાલામાં રમાશે. જોકે, આ શ્રેણી વિજય ઘરઆંગણે ભારતનો સળંગ 17મો શ્રેણી વિજય છે. ભારતીય ટીમ છેલ્લે ઘરઆંગણે છેલ્લે 2012માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી હારી હતી. ત્યારબાદ ટીમે એક પણ ટેસ્ટ શ્રેણી ગુમાવી નથી. આમ જોઈએ તો ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝ જીતવાની હેટ્રિક લગાવી છે. ભારતે ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે બે વખત શ્રેણી જીતી છે.