Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન ૧૫મી એપ્રિલથી શરૂ કરાશે

અમરનાથ યાત્રાને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, આ વર્ષે અમરનાથ યાત્રા ૨૯ જૂનથી શરૂ થશે. અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન ૧૫મી એપ્રિલ એટલે કે સોમવારથી શરૂ થશે.
આ યાત્રા ૧૯મી ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમાના રોજ સમાપ્ત થશે એટલે કે તે ૪૫ દિવસની હશે. કોઈપણ ભક્ત જે આ યાત્રા પર જવા માંગે છે તે સત્તાવાર વેબસાઇટ રંંજઃ//દ્ઘાજટ્ઠજહ્વ.હૈષ્ઠ.ૈહ પર નોંધણી કરાવી શકે છે.
અમરનાથની વાર્ષિક યાત્રા બે માર્ગો દ્વારા થાય છે – અનંતનાગ જિલ્લામાં પરંપરાગત ૪૮ કિમી લાંબો નુનવાન-પહલગામ માર્ગ અને ગાંદરબલ જિલ્લામાં ટૂંકા અને સાંકડા ૧૪ કિમીનો બાલટાલ માર્ગ. આ યાત્રાનું આયોજન જમ્મુ અને કાશ્મીર સરકાર અને શ્રી અમરનાથ જી શ્રાઈન બોર્ડના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું છે.
અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામ જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર શહેરથી ઉત્તર-પૂર્વ દિશામાં ૧૩૫ કિલો મીટર દૂર સમુદ્રતટ કરતાં ૧૩,૬૦૦ ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ ગુફાની લંબાઈ (અંદર તરફની ઊંડાઈ) ૧૯ મીટર અને પહોળાઈ ૧૬ મીટર જેટલી છે. ગુફા ૧૧ મીટર જેટલી ઊંચી છે. અમરનાથ મંદિર હિન્દુઓના સૌથી પવિત્ર મંદિરોમાંનું એક માનવામાં આવે છે અને તેની સાથે ઘણી દંતકથાઓ જોડાયેલી છે. આ મંદિરમાં ૫૧ શક્તિપીઠ છે (એ સ્થાનો જ્યાં દેવી સતીના શરીરના અંગો પડ્યા હતા). તેને તે સ્થાન તરીકે પણ વર્ણવવામાં આવે છે જ્યાં ભગવાન શિવે દેવી પાર્વતીને જીવન અને અનંતકાળનું રહસ્ય કહ્યું હતું. આ મંદિરનો મોટાભાગનો ભાગ આખા વર્ષ દરમિયાન બરફથી ઘેરાયેલો રહે છે. ઉનાળાની ઋતુમાં મંદિર ખૂબ જ ટૂંકા ગાળા માટે ખોલવામાં આવે છે.
આ ૪૦ મીટર ઉંચા ગુફા જેવા મંદિર સુધી પહોંચવા માટે ભક્તોને લગભગ ૩૫ થી ૪૮ કિમીની મુસાફરી કરવી પડે છે, આ ગુફામાં પાણીના ટીપાંથી શિવલિંગનું નિર્માણ થાય છે. આ યાત્રાધામ તેના સ્થાન અને પર્યાવરણને કારણે મુશ્કેલ ટ્રેક છે. મંદિરની મુલાકાત લેવા ઇચ્છતા ભક્તો ઊંચાઈ અને અંતરને આવરી લેવા માટે સારા સ્વાસ્થ્યમાં હોવા જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોમાં અમરનાથ યાત્રાએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરની મુલાકાત લીધી છે.

Related posts

नॉर्थ ईस्ट काउंसिल की बैठक में हिस्सा लेने पहुंचे अमित शाह

aapnugujarat

અપરાધીઓની સાથે રહીશું જ નહીં : આઝમ ખાનના ગઢમાં યોગી દ્વારા ચુંટણી પ્રચાર

aapnugujarat

नजरबंद पीपुल्स कॉन्फ्रेंस के नेता सज्जाद लोन रिहा

editor
UA-96247877-1