Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કેનેડામાં વૈશાખીની ઉજવણીઃ ટ્રુડોની હાજરીમાં ખાલિસ્તાન તરફી નારા પોકારાયા

કેનેડામાં રવિવારે ટોરંટો ખાતે ખાલસા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન ખાલિસ્તાન તરફી નારા પોકારવામાં આવ્યા હતા. ખાલિસ્તાનના મુદ્દે તાજેતરમાં ભારત અને કેનેડા વચ્ચે વિવાદ થયો છે. ભારતે કેનેડા પર ખાલિસ્તાન તરફી તત્ત્વોને શરણ આપવાનો આરોપ મૂક્યો છે. આ કાર્યક્રમમાં ટ્રુડોએ જાહેરાત કરી કે તેઓ શીખોના હિત અને સ્વતંત્રતાનું રક્ષણ કરશે. તેમણે કહ્યું કે તેઓ શીખ સમુદાયના રક્ષણ માટે હંમેશા હાજર રહેશે.

આ પ્રસંગે જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે ‘શીખોના જે મૂલ્યો છે તે કેનેડિયન મૂલ્યો છે’ એટલે કે કેનેડા પણ શીખોના મૂલ્યોને માન આપે છે. આ દરમિયાન કેનેડાની સરકાર કોમ્યુનિટી સેન્ટરો અને ગુરુદ્વારા ખાતે વધારે સુરક્ષા બંદોબસ્ત કરી રહી છે. ટ્રુડોએ ખાતરી આપી છે કે શીખ સમુદાયના હિતોનું કોઈ પણ ભોગે રક્ષણ કરવામાં આવશે.

ખાલસા દિવસના કાર્યક્રમમાં કેનેડાના બીજા કેટલાક પક્ષોના નેતાઓ પણ હાજર હતા. ખાલસા દિવસને વૈશાખી તરીકે પણ ઓળખવામાં આવે છે જે શીખોનું નવું વર્ષ છે. જસ્ટિન ટ્રુડો લોકોને સંબોધન કરવા માટે મંચ તરફ આગળ વધ્યા કે તરત ખાલિસ્તાન તરફી સૂત્રો પોકારવામાં આવ્યા હતા.

ટ્રુડોએ કહ્યું કે કેનેડાની સૌથી વધુ શક્તિ તેના વૈવિધ્યમાં છે. આપણે વિવિઘતા હોવા છતાં મજબૂત છીએ. કેનેડામાં દર વર્ષે યોજાતો આ પ્રસંગ બહુ ભવ્ય હોય છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપે છે. કેનેડામાં શીખ ધર્મનું પાલન કરતા 8,00,000 લોકો વસે છે. અમે તમારા અધિકારો અને સ્વતંત્રતાનું રક્ષણ કરવા હંમેશા હાજર છીએ. અમે તમામ નફરત અને ભેદભાવ સામે તમારું રક્ષણ કરીશું.

કેનેડાના વડાપ્રધાને જણાવ્યું કે “શીખોના કોમ્યુનિટી સેન્ટરમાં વધારે સુરક્ષા આપવામાં આવશે. તમે તમારા ધર્મનું સ્વતંત્ર અને મુક્ત રીતે કોઈ પણ જાતના ભય વગર પાલન કરી શકો છો. જે એક મૂળભૂત અધિકાર છે અને તે કેનેડાના બંધારણ દ્વારા આપવામાં આવ્યો છે. હેપ્પી બૈશાખી, વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ.”

ગયા વર્ષથી કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં તકરાર પેદા થઈ જેના માટે શીખ ઉગ્રવાદીઓ જવાબદાર ગણવામાં આવે છે. તાજેતરમાં કેનેડામાં ખાલિસ્તાન તરફી ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી તેમાં કેનેડાએ ભારત પર દોષારોપણ કર્યું હતું. ત્યાર પછી ભારતે તેની સામે સખત વાંધો ઉઠાવીને કેનેડાના ડિપ્લોમેટની સંખ્યા ઘટાડી નાખી હતી. હજુ પણ ભારત અને કેનેડા વચ્ચે આ મામલે કોઈ સમાધાન થયું નથી.

Related posts

फ्लोरिडा : खतरनाक श्रेणी में पहुंचा डोरियन’ तूफान, आपात स्थिति घोषित

aapnugujarat

અમેરિકા સાથે ટકરાવ વચ્ચે રશિયાના વિદેશ મંત્રી ચીનના પ્રવાસે જશે

editor

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને માથે ધરપકડની તલવાર…

aapnugujarat
UA-96247877-1