વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી લોકસભા ચૂંટણી પછી ભાજપ સત્તામાં પરત ફરશે. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં સમગ્ર દેશમાં શરૂ કરાયેલા ઘણા વિકાસ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, મારી સરકારનો ત્રીજો કાર્યકાળ જૂનથી શરૂ થશે. વિકાસ કાર્યો જે સ્કેલ અને ઝડપથી આગળ વધી રહ્યા છે તેનાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વડાપ્રધાન મોદીએ 41,000 કરોડથી વધુની કિંમતના 2000થી વધુ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના લોકાર્પણ બાદ તેમણે આ વાત કરી હતી. રેલવેમાં પરિવર્તનને રેખાંકિત કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં લોકોએ વંદે ભારત ટ્રેનોના પ્રારંભ સહિત નવા ભારતનું નિર્માણ થતું જોયું છે.
આગળની પોસ્ટ