સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં ચોરી લુંટ અને ધાડ પાડવાના બનાવોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં શિયાળાની ઠંડીમાં તસ્કરો રહેણાંક બંધ મકાન અને વેપાર ધંધાની મોટી દુકાનોને નિશાન બનાવી મોટી ચોરી કરવાનો કારસો રચી તસ્કરો ત્રાટકતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર શ્રી રામ જવેલર્સ સોની દુકાનમાં તસ્કરો ત્રાટકતા ચકચાર મચી જવા પામી છે અને આજુબાજુ વિસ્તારમાં રહેતાં લોકોમાં ચોરીનો ભય ફેલાઈ જવા પામ્યો છે
વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર ઉમિયા ટાઉનશિપમાં રહેતાં ચેતનભાઈ પટેલની શાક માર્કેટ નજીક આવેલ શ્રી રામ જવેલર્સ સોનીની દુકાનમાં રાત્રીના સમયે તસ્કરોએ નિશાન બનાવી બંધ દુકાનનું શટર તોડીને તસ્કરો ગેરકાયદેસર પ્રવેશ કરી સોનાચાંદીના દુકાનમાં હાથફેરો કરતા કાઈ ચીજ વસ્તુઓ હાથ ના આવતા દુકાનમાં રહેલ સીસીટીવી ટીવી કેમેરાનુ એલઈડી ટીવી અને રીસીવર લઈને ફરાર થયા હોવાનું દુકાનના માલિક ચેતનભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે તેમજ માસ્ટર માઈન્ડ તસ્કરોએ પોતાની ચોરીની કોઈ સાબિતી ના રહે તે હેતુથી ચાલુ સીસીટીવી ટીવી કેમેરાનું એલઈડી ટીવી અને રીસીવર લઈને રફુચક્કર થતા આ રહેણાંક વિસ્તારમાં રહેતાં લોકોમાં ચોરીનો ફફડાટ અને ભય ફેલાઈ જવા પામ્યો છે અને આ ઘટનાની જાણ શ્રી રામ જવેલર્સ સોનીની દુકાનના માલિક ચેતનભાઈ પટેલે બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ ટીમે ચોરી અંગેની તપાસ હાથ ધરી છે અને ચોરીની ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.