શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ 14 ફેબ્રુઆરી 2019 માં કાશ્મીરમાં પુલવામા ગામમાં આંતકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે અનુકૂલ યુથ ક્લબ ઘોઘલા, ઉષા મહિલા મંડળ ઘોઘલા તેમજ કપિલેશ્વર મિત્ર મંડળ દ્વારા કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ગામમાં ફર્યા પછી કપિલેશ્વર ક્રિકેટ ગ્રાઉન્ડમાં શહીદો માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું. અને મીણબત્તી મૂકી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે ભવ્ય ચૌહાણ, હેમાક્ષી બેન રાજપૂત અને સકિલ કાશ્માણી દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યુ આ રેલીમાં અનુકૂળ યુથ ક્લબના પ્રમુખ ભવ્ય ચૌહાણ મહિલા મંડળના પ્રમુખ હેમાક્ષી બેન રાજપુત કપિલેશ્વર મિત્ર મંડળ તરફથી યજ્ઞેશભાઇ અને વિકીભાઈ તેમજ પ્રકાશભાઈ બારીયા અને અંકિત ભાઈ બારીયા ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિપેશભાઈ બારીયા દ્વારા કરવામાં આવ્યું હતું