અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગામ સિમેજ મુકામે તા ૧૪/૨/૨૦૨૨ ને સોમવારના રોજ સંતશ્રી જોધલપીર વંશજ પરમ પૂજ્ય શ્રી લાલદાસબાપુના મંદિરનું ખાતમૂહુર્ત મુખ્ય અતિથિ માનનીય પૂવૅ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ માનનીય કેબિનેટ કક્ષાનાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર સાહેબ,માતરના ધારાસભ્ય શ્રી કેસરીસિહ સોલંકી તેમજ સવારે ૯ કલાકે પૂજા અર્ચના ૧૦ કલાકે મહેમાનોનું આગમન,૧૧ કલાકે ભોજન બપોરે ૧૨ કલાકે કલાકે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં હતો આ કાયૅકમમા મહાપ્રસાદના દાતાશ્રી બચુભાઈ સરપંચ શ્રી ધોળી,આ કાયૅકમમાં જોધલપીર વંસજ તેમજ ૧૦૮ પરમપૂજ્ય લાલદાસબાપુ દ્વારા સમગ્ર પરગણા વણકર સમાજની તમામ કમિટીના સભ્યો અને સંસ્થા સ્થાપક પ્રમુખ ભીખાભાઇ એ મકવાણા નું ભવ્ય સન્માન કરવામાં આવ્યું
હતું અંતે સૌએ સમૂહભોજનમાં સાથે સાથે ભાગ લીધો હતો ત્યાંથી સમગ્ર કમિટીના સભ્યો પાટણ ખાતે પોતાના દેહનું બલિદાન આપનાર વિરમાયાદેવના વતન અને જન્મભુમિ રનોડા મુકામે તેમના કુટુંબીજનોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને વિરમાયાદેવનુ કેલેન્ડર, ડો બાબાસાહેબ આંબેડકરનું કેલેન્ડર આપી સૌ કમિટીના સભ્યો સન્માન કર્યું હતું આ કાયૅકમમા સમગ્ર પરગણા વણકર સમાજ ના સંસ્થા સ્થાપક પ્રમુખ ભીખાભાઇ એ મકવાણા, માનનિય મુખ્યમંત્રીના કમાન્ડો શ્રી બચુભાઇ પી સોલંકી, ગાંધીનગર શ્રી મગનલાલજી ડાભી-ગાધીનગર, શ્રી રમેશભાઈ પી રાઠોડ-વેજલપુર, શ્રી અનિલભાઈ બી પરમાર-અચરાસણ, શ્રી કમલભાઈ પરમાર-ચાદખેડા, શ્રી બીપીનભાઈ કે સોલંકી-કલોલ, શ્રીમતિ દક્ષાબેન એ સોલંકી-મંડાલી, શ્રીમતિ રમીલાબેન બી સોલંકી-ગાધીનગર વગેરે એ ભાગ લીધો હતો