મહા સુદ તેરસ વિશ્વકર્મા જયંતી તરીકે ઉજવવામાં આવે છે વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્ર તેમજ માનવ જીવન ઉપયોગી વિજ્ઞાનના પ્રણેતા માનવામાં આવે છે ધાંગધ્રા ખાતે અનોખી રીતે વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી સાથે સાથે વિશ્વકર્મા પ્રભુના મંદિરના બીજા માળનુ નવનિર્માણ કરવામાં આવેલ અને વિશ્વકર્મા પ્રસાદનું આયોજન સર્વ ભુપેન્દ્રભાઈ નટવરલાલ તલસાણીયાના ધર્મ પત્ની ભારતીબેન ભુપેન્દ્રભાઈ તલસાણીયા તરફથી પ્રસાદનું આયોજન કરવામાં આવે છે
સાથે સાથે સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવે અને સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ આવે તેના માટે ગુજૅર સુથાર સમાજની મહિલાઓ દ્વારા વિશેષ ફંડ ભેગો કરીને સમાજના બાળકોનો શિક્ષણ તરફ વિકાસ થાય તે હેતુથી શિક્ષણ સમિતિને વિશેષ ફંડ મહિલાઓ દ્વારા એકત્રિત કરીને શિક્ષણ સમિતિને આપવામાં આવેલ આ આયોજનમાં સમાજના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રીશ્રી તેમજ ટ્રસ્ટી ગણો એ વિશેષ હાજરી આપી હતી