દિયોદર શહેરમાં ઘણા સમય થી એજ્યુકેશન એકેડમીના નામે સંસ્થાઓ બિલાડીના ટોપની જેમ શરૂ થઈ છે જેમાં તાલુકાના વિધાર્થીઓને સારી નોકરી મળે તે માટે તગડી ફી ભરી કોર્સ કરવમાં આવે છે જેમાં અનેક વિધાર્થીઓને નોકરી તો ઠીક પણ સર્ટી પણ આપવામાં નથી આવતું તેવી ફરિયાદો ઉઠવા પામી છે
જેમાં દિયોદર તાલુકાના ચિભડા ગામે રહેતા વજીર રાજુભાઇ શંકરભાઈ 2020 -2021 માં દિયોદર એસ ટી ડેપોની બાજુમાં આવેલ એજ્યુકેશનમા 15 હજાર રૂપિયાની ફી ભરી 8 મહિના સુધી કોર્સ કર્યો હતો જેમાં એજ્યુકેશન દ્વારા વિધાર્થી એ થરાદ દવાખાને 6 મહિના સુધી ટ્રેનિંગ લીધી હતી જેમાં એક પણ પગાર વગર કામ કરાવતા વિધાર્થી એ સર્ટી માટે એજ્યુકેશનમા રજુઆત કરી હોવા છતાં આજદિન સુધી સર્ટી મળેલ નથી જેમાં ન્યાય નહીં મળે તો ઉચ્ચ કક્ષા એ રજુઆત કરવાની તૈયારી દર્શાવી છે.