આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહેસાણા ખાતે રાધનપુર રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડા દ્વારા શેરી નાટક યોજી સરકાર તેમજ બેન્ક ઓફ બરોડાની વિવિધ સેવાઓની વિસ્તૃત માહિતી આપી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બેંકના ગ્રાહકોને હોમ લોન ગોલ્ડલોન કારલોન નવો ધંધો શરૂ કરવા માટેની લોન જેવી માહીતી અમદાવાદ થી એક ટીમ દ્વારા નાટક કરી બેન્કની વિવિધ સેવાઓની માહિતી આપવામાં આવી હતી
અને ગ્રાહકોને બેન્ક ફ્રોડ થી બચાવ માટે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેંક ઓફ બરોડાનો તમામ સ્ટાફ સ્થાનિક નાગરિકો એ આ શેરી નાટકનો લાભ લીધો હતો.