કાંકરેજ તાલુકાના આકોલી ખાતે આવેલ ૐ કાલેશ્વર મહાદેવ.અને ઉંબરી ગામે આવેલ પાતાળેશ્વર મહાદેવના શિવાલયોમાં બીલીપત્ર અર્પણ કરવામાં આવ્યાં શિવ શંકર ભોલેનાથના મંદીરમાં ભવ્યાતિ ભવ્ય શિવરાત્રી નિમિતે ભજન સત્સંગ કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારે સવારથી જ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું અને હર હર મહાદેવ. જય જય ભોલે ભંડારી. ઓમ્ નમઃ શિવાયના નાદથી વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું અને ભકતો આ મહા શિવરાત્રી ઉત્સવમાં શક્કરિયા બટાકા ના પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે
ત્યારે વર્ષો થી આકોલી ખાતે આવેલ ૐ કાલેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર્વ શાનદાર ઉજવણી કરવામાં આવે છે. ત્યારે બનાસ નદીના કાંઠે વસેલું રમણીય અને સોનાની ડુંગરી તરિકે ખ્યાતનામ કાંકરેજ તાલુકાના ઉંબરી ગામના પાતાળેશ્વર મહાદેવના શિવાલયો ભક્તોથી ઉભરાયા હતા