જેક્લીન અને આલિયા વચ્ચ છેલ્લા કેટલાક સમયથી ખેંચતાણ ચાલી રહી છે. આનુ મુખ્ય કારણ સિદ્ધાર્થ મલહોત્રાની સાથે જેક્લીનની વધતી જતી મિત્રતા હોવાનુ જાણવા મળ્યુ છે. હવે આ ચર્ચાને વિરામ લગાવતા આ મામલે જેકલીને પોતાની પ્રતિક્રિયા આપી છે. જેક્લીને કહ્યુ છે કે મિડિયામાં એવા હેવાલ આપવામાં આવે છે જેનાથી સાબિત થઇ જાય છે કે બે લોકો લડી રહ્યા છે. જો કે વાસ્તવિકતા કઇક અલગ હોય છે. તાપ્સી પન્નુની સાથે તેની ખેંચતાણ ચાલી રહી છે તેવા હેવાલ પણ મિડિયામાં આવતા રહે છે. જેક્લીને કહ્યુ છે કે જુડવામાં અમે બન્ને સાથે કામ કરી રહ્યા છીએ. તાપ્સી સાથે તેના સારા સંબંધ છે. સિદ્ધાર્થ સાથે પોતાના લિન્ક અંગે વાત કરતા જેક્લીને કહ્યુ છે કે તે આલિયાના રસ્તા ક્યારેય આગળ વધી નથી. શરૂઆતમાં જ્યારે સિદ્ધાર્થ સાથે લિન્ક અપના અહેવાલ આવ્યા ત્યારે લાગ્યુ કે આ બાબતો સામાન્ય રીતે શાંત થઇ જશે. જો કે ચર્ચા વધારે તીવ્ર બનતી ગઇ હતી. જેક્લીને કહ્યુ છે કે તેની અને આલિયા વચ્ચે કોઇ મતભેદો નથી. આલિયા સાથે તે ફોન પર વાતચીત કરી ચુકી છે.બીજી બાજુ જેક્લીને કહ્યુ છે કે આલિયા ભટ્ટ પોતે પણ જેક્લીન સાથે કોઇ મતભેદ હોવાનો ઇન્કાર કરે છે. આલિયાએ જેક્લીનને કહ્યુ છે કે જ્યારે બન્ને આગામી વખત મળશે ત્યારે અનેક સેલ્ફી લેવામાં આવશે. બન્ને સ્ટાર હાલમાં અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જેક્લીન પાસે તો બોલિવુડના સૌથી મોટા સ્ટાર સલમાન ખાન સાથે જ બે ફિલ્મ હાથમાં આવી ગઇ છે. જેમાં રેમો ડિસોઝાની ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તેમની સાથે કામ કરનાર અન્ય કલાકારોની પસંદગી કરવામાં આવી નથી. બીજી બાજુ સલમાનની સાથે તે રેસ-૩ ફિલ્મમાં પણ કામ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મમાં આદિત્ય પંચોલી વિલનની ભૂમિકા અદા કરી શકે છે.
આગળની પોસ્ટ