સુરેન્દ્રનગરથી આમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે,રસીકરણ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા chc તથા મોજીદડ phc ,ચોકડી phc ખાતે covid-19 ની રસી નું અભિયાન ચલાવવામાં આવ્યું.
મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ 60 લાખ કેટલા વરિષ્ઠ નાગરિકોને આ રસીકરણ અભિયાન નો લાભ લેવા અપીલ કરી છે.
કોરોના સામેની લડાઈના નિર્ણાયક તબક્કામાં સિનિયર સિટીઝનો ને યોગદાન આપવા અપીલ કરી છે.
મોદી સરકાર તથા રાજ્ય સરકાર સૌના આરોગ્યની ચિંતા કરે છે ત્યારે કોરોના સામે શરૂઆતથી જ લોક સહયોગ અને આરોગ્યકર્મીઓની કર્તવ્યનિષ્ઠાએ કોરોનાના વ્યાપને વધતો અટકાવવા ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે.
કોરોનાવાયરસ છે જ્યારે સમગ્ર વિશ્વ ને પોતાના સંક્રમણથી સંક્રમિત કર્યું છે ત્યારે તેને અટકાવવા ના તમામ પ્રયાસો રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે,
આ અભિયાનમાં તાલીમબદ્ધ ડોક્ટર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ સહિત ૩૦ હજારથી વધારે કર્મચારીઓ દ્વારા અભિયાન ચલાવવામાં આવશે