કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે આવેલ અટુબિયાવાસ ખાતે ઠાકોર સમાજ દ્વારા યજ્ઞનું આયોજન કરવા માં આવ્યું હતું ગોગા મહારાજ તથા મામાદેવના મંદિરે ભક્તો એ યજ્ઞનો લાભ લીધો હતો ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી મહા વદ છઠ્ઠને મંગળવારના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રી શ્રી અંબારામ મહારાજ દ્વારા શાસ્ત્રો વિધી અનુસાર મંત્ર જાપ અભિષેક અનુષ્ઠાન પુજા આરતી વગેરે કરવામાં આવ્યું હતું.મંત્રોચ્ચાર કરી ઓમ હવનની આહૂતિ આપવામાં આવી હતી
આ પ્રસંગે ગામના સરપંચ શ્રી રામપ્રસાદ થતા ભુવાજી વણવીરજી તથા પુનાજી તથા ખેમાજી, બલાજી ,રશિકજી ,સોરાપજી ,ભેમજી ,રામજી તેમજ ગામના આગેવાનો વડીલો વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતાં આ પરીસરમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી. દર્શન સાથે પ્રસાદનો લાહવો લીધો હતો અને પ્રસંગનો લાભ ઉઠાવ્યો હતો. આ સુનેરા યજ્ઞ પ્રસંગે ગામ લોકોએ યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.