એક તરફ ઝાલાવાડમાં ખેડૂતો દ્વારા હાલ નર્મદાના નીર માટે સરકાર સામે બાયો ચડાવી છે તેવામાં સુરેન્દ્નનગર જિલ્લો ,ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ સહિતના તાલુકાના કુલ 20 જેટલા ગામોના ખેડૂતો તથા માલધારીઓ દ્વારા નર્મદાનુ પાણી મળી રહે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે પરંતુ આ તરફ ધ્રાંગધ્રાના હાર્દ સમાન માનસરોવર તળાવમાં સુજલામ-સુફલામ યોજના અંતર્ગત લાખો રુપિયાના ખર્ચ બાદ પણ આજે વષોઁથી તળાવ ખાલીખમ નજરે પડે છે.
જોકે સુજલામ-સુફલામ યોજના અંતર્ગત લાખો રુપિયાના ખર્ચ પાછળનો મુખ્ય હેતુ તળાવ ઉંડુ કરી પાણીનો સ્ત્રોત વધે જેના લીધે સ્થાનિક ખેડૂતોને વાવેતરમાં પાણીની તંગી સર્જાય નહિ તે માટેનો હતો પરંતુ યેન-કેન પ્રકારે યોજનાની જવાબદારી પૂર્વક કામગીરી નહિ થતા માનસરોવર તળાવમા પાણી લાવવા માટે કરાયેલ લાખ્ખોનો ખર્ચ અંતે પાણીમાં ગયો હોવાનુ નજરે પડી રહ્યુ છે.