અવારનવાર લૂંટની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.ત્યારે વધુ એક ઘટના બોટાદ ખાતે બનવા પામી છે.બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચીરોડા ગામે ઘરમાં ઘૂસેલા ત્રણ લોકોએ મકાન માલિક એવા રઘુભાઈ કરશનભાઈ કેવડીયાને તેના જ મકાનમાં બંધક બનાવી મારમારી લૂંટારૂઓએ લૂંટને અંજામ આપ્યો.ભોગ બનનાર રઘુભાઈએ જણાવ્યું કે ઘરમાં કપાસના વેચાણના અંદાજિત 11 લાખ જેવી માતબર રકમ હતી. જે લૂંટારૂઓએ લૂંટ કરી પલાયન થઇ ગયા હતા .
ત્રણ લોકોએ ઘરમાં પ્રવેશી મકાન માલિક શૌચક્રિયા માટે બહાર નીકળતાં જ તેને દબોચી લઇ બંધક બનાવી માર મારી ઘરના કબાટ સહિતના સામાનને તોડી નાખીને ઘટનાને અંજામ આપ્યો અને લૂંટની ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, એલસીબી એસઓજી પીઆઇ, પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો લૂંટને અંજામ આપનાર જાણ ભેદું હોય તેવી પૂરી આશંકા પોલીસે વ્યક્ત કરી છે.લૂંટને અંજામ આપનાર ગેંગને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા