ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે અને હવે આગામી મહિને રિઝલ્ટ આવે તેની રાહ જોવાઈ રહી છે ત્યારે રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ કહ્યું છે કે આ વખતની ચૂંટણી તેમના જીવનમાં સૌથી પીડાદાયક રહી છે. પરશોત્તમ રૂપાલાએ દલિતોના એક કાર્યક્રમમાં રાજા-મહારાજાઓ વિશે એક ટિપ્પણી કરી ત્યાર બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને હજુ પણ તેનું સમાધાન નથી થયું. રુપાલાએ આ મુદ્દે વારંવાર માફી માગી હતી અને વોટિંગ પછી પણ તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી છે.
આગળની પોસ્ટ