Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અલ્પેશ કથીરિયાએ આપ્યું નિવેદન

વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે . ભાજપ , કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરવામાં આવી છે . ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં નરેશ પટેલને લઈને ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે કારણ કે , નરેશ પટેલ કયા પક્ષ સાથે રાજકારણમાં જોડાશે તે બાબતે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી . ત્યારે સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયા દ્વારા કેટલીક મહત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી . નરેશ પટેલ કોઇ પણ પક્ષમાં જાય તો પાટીદાર અનામત આંદોલન સમિતિનું સ્ટેન્ડ રહેશે તે બાબતે અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે , ખોડલધામ નરેશ પટેલ દ્વારા આંદોલન વખતે ખૂબ જ સહકાર આપવામાં આવ્યો હતો . તેમજ સમાજના હિતમાં તેઓ સક્રિય રહે છે . નરેશ પટેલ જેવા વ્યક્તિ કોઈ પણ રાજકીય પક્ષમાં જાય પછી ભલે ભાજપ , કોંગ્રેસ હોય અને તેને પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ખુલ્લું સમર્થન આપવામાં આવશે . આ બાબતે અલ્પેશ કથીરિયા સ્પષ્ટતા કરી હતી કે , રાજકીય પાર્ટી કોઈ પણ હોય પરંતુ નરેશ પટેલને જ સમર્થન અપાશે . પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નથી જોડાયા પરંતુ નરેશ પટેલ અને કોંગ્રેસને મદદરૂપ થશે ખરા તે બાબતે અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે , પ્રશાંત કિશોર ભલે કોંગ્રેસમાં જોડાઈ નહીં પરંતુ આ પ્રશ્ન તેની કેન્દ્રીય નેતાગીરીનો છે . વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને તેઓ મદદરૂપ થઈ શકે છે .

Related posts

તલાટીની ૧,૮૦૦ પોસ્ટ માટે ગુજરાતમાંથી ૩૮ લાખ અરજી મળી

aapnugujarat

રાજપીપલા ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના ચેરમેનશ્રી નંદકુમાર સાઇની અધ્યક્ષતામાં “કન્વેન્શન એન્ડ ફેલીસીટેશન પ્રોગ્રામ ઓન ધી રોલ ઓફ ટ્રાયબલ” કાર્યક્રમ યોજાયો

aapnugujarat

રાજપીપલા જિલ્લા કલેક્ટરાલય ખાતે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની યોજાયેલી બેઠક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1