બનાસકાંઠા અને પાટણમાં જલપ્રલય બાદ નેતાઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે, તેવા સમયે વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાએ બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે તથા તેમણે આ મુદ્દે રાજનીતિ ન કરી માનવતા જાળવવાની સલાહ રાજનેતાઓને આપી છે. પાલનપુરમાં પ્રવિણ તોગડીયાએ રાજકીય પક્ષો પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, બનાસકાંઠાની વિકટ પરિસ્થિતિમાં રાજકીય પક્ષો રાજનીતિ કરે છે. વળી, તોગડીયાએ બનાસકાંઠાના પૂરગ્રસ્તોની સહાય માટે ૩ ટ્રક ભરી રાહત સામગ્રી રવાના કરી હતી. તોગડિયા પાલનપુર, કાંકરેજ અને થરાના અસરગ્રસ્તો સાથે મુલાકાત કરશે.
આગળની પોસ્ટ