Aapnu Gujarat
ગુજરાત

બનાસકાંઠાની વિકટ પરિસ્થિતિ અંગે રાજકીય પક્ષો રાજનીતિ બંધ કરેઃ તોગડિયા

બનાસકાંઠા અને પાટણમાં જલપ્રલય બાદ નેતાઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે, તેવા સમયે વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાએ બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે તથા તેમણે આ મુદ્દે રાજનીતિ ન કરી માનવતા જાળવવાની સલાહ રાજનેતાઓને આપી છે. પાલનપુરમાં પ્રવિણ તોગડીયાએ રાજકીય પક્ષો પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, બનાસકાંઠાની વિકટ પરિસ્થિતિમાં રાજકીય પક્ષો રાજનીતિ કરે છે. વળી, તોગડીયાએ બનાસકાંઠાના પૂરગ્રસ્તોની સહાય માટે ૩ ટ્રક ભરી રાહત સામગ્રી રવાના કરી હતી. તોગડિયા પાલનપુર, કાંકરેજ અને થરાના અસરગ્રસ્તો સાથે મુલાકાત કરશે.

Related posts

अहमद को सीएम बनाने की अपील क्यों की पाक ने : मोदी

aapnugujarat

शहर में पर्स स्नेचर का आतंक दो स्नेचिंग की घटना हुई

aapnugujarat

યુવાનોને સ્વમાનભેર કારકિર્દી ઘડતરની તક અપાઈ : રૂપાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1