કાંકરેજના અરણીવાડા ખાતે આજ રોજ ગોગ મહારાજ અને સિકોતર માતાજીની ફોટા પ્રતિષ્ઠા યોજાઈ હતી .જેમાં હવન કરવામાં આવ્યો હતો અને માતાજીની આરતી તથા થાળ ધરાવી દાતાઓ દ્વારા મંદિર ચઢાવો બોલીને દાતાઓના હસ્તે મંદિરના શિખર ચડાવવામાં આવ્યા હતા. જ્યાં ગામ લોકો એ મંદિરની ફોટો પ્રતિમા સ્થાપિત કરી મંદિરની આરતી પૂજા કરી ધન્યતા અનુભવી હતી.
ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં દાતાઓ તરફથી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ સહિત ગામના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા