સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ચતુર્થ પાટોત્સવ યોજાયો.પ્રાંતિજ રેલ્વેસ્ટેશન જીઇબી પાસે આવેલ શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજની વાડી ઉમાધામમાં બિરાજમાન રાજરાજેશ્વરી શ્રી ઉમિયા માતાજી , શ્રી અંબે માતાજી , શ્રી ગાયત્રી માતાજી , શ્રી ઉમેશ્વર મહાદેવ , શ્રી કષ્ટભંજન હનુમાનજી , શ્રી ભૈરવદાદા તથા શ્રી ગણપતિ દાદા ના મંદિર નો ચતુર્થ પાટોત્સવ યોજાયો હતો જેમાં મંદિર પરિષદ માં નવચંડી યજ્ઞ , શ્રી ફળ હોમ સહિત ના કાર્યક્રમો યોજાયા હતાં તો ચતુર્થ પાટોત્સવ ના મુખ્ય યજમાન રસિકભાઇ પૂંજાભાઇ પટેલ હસ્તે રીતેષભાઇ (ધર્મેન્દ્રભાઇ) અમીનપુર પરિવાર દ્વારા યોજાયો
હતો તો રાત્રી સમયે રાસ ગરબા નું પણ યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તો શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજ ના ભાઇ બહેનો સહિત આજુબાજુ માં રહેતાં ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને યજ્ઞ દર્શન કરી પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી તો શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજ યુવક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ