જામજોધપુર પંથકના સોનવડિયા ગામમાં પાલક પિતાએ સગીર પુત્રી પર દુષ્કર્મ આચરતા ભારે ચકચાર જાગી છે. માતાને ધમકી આપી છ વર્ષમાં પુત્રીને અનેક વખત હવસનો શિકાર બનાવી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
બનાવની મળતી વિગત અનુસાર જામજોધપુર પંથકના સોનવડિયા ગામમાં રહેતા ભીખાભાઇ નૈયાભાઇ રબારીના છએક વર્ષ પહેલાં બીજા લગ્ન થતાં પત્ની એક સગીર પુત્રીને પણ સાથે લાવી હતી. પરંતુ પાલક પિતા ભીખાભાઇની સગીર પુત્રી પર નજર બગડી હતી અને સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. છ વર્ષ દરમિયાન અવાર નવાર પાલક પિતા ભીખાભાઇએ સગીર પુત્રીને વારંવાર જુદા જુદા સ્થળે લઇ જઇને તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં સગીરા તથા તેણીની માતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. જામજોધપુર પોલીસે પાલક પિતા ભીખાભાઇ સામે દુષ્કર્મ અને હુમલાની કલમો સહિત ગુનો નોંધી દુષ્કર્મનો ભોગ બનનાર સગીર પુત્રીનું મેડિકલ પરીક્ષણ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પાલક પિતાના દુષ્કર્મનો ભોગ બનેલી સગીર પુત્રીની માતાએ થોડા દિવસો પૂર્વે પોતાની સગીર પુત્રીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન સગીરા જામનગરથી મળી આવતા પોલીસે તેનું નિવેદન નોંધતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ