ધોરાજીથી અમારા સંવાદદાતા કૌશલ સોલંકી જણાવે છે કે, લોક ડાઉન અતિ વૃષ્ટિ જેવી આફતો નું સામનો કર્યા બાદ ખેડૂતો એ સારા એવા ભાવ ની આશાએ ડુંગળી નું વાવેતર કર્યું હતું .ડુંગળીના ભાવ ગગડતા ભૂતવડ ગામ ખેડૂતો નું સરકાર ને જગાડવા નવતર અભિગમ હાથ ધર્યો હતો.ડુંગળી ના ખેતર માં બેસી અને ખેડૂતો એ ગુજરાત ના મુખ્ય મંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો હતો અને ટેકાના ભાવે ડુંગળી ની ખરીદી શરૂ કરવા ની માંગ કરી હતી.
ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, થોડા દિવસ અગાઉ ડુંગળી ના 600 રૂપિયા એક મણ નો ભાવ મળતો હતો. ભાવ ગગડી ને હાલ માં એક મણ ના 120 રૂપિયા મળી રહ્યા છે.આ ભાવમાં વાવેતર ના સમયે કરેલ ખર્ચ પણ નીકળી શકે એમ નથી.જેને કારણે ખેડૂતો ની દિવસે ને દિવસે સ્થિતિ કફોડી બની રહી હોવાનું જણાવ્યું હતું.
આગળની પોસ્ટ