વિજાપુરથી અમારા સંવાદદાતા મહેશ અસોડીયા જણાવે છે કે, હાલ આખા ગુજરાત માં ધૈયરાજસિંહ ને બચાવવા મુહિમ ચાલી રહી છે આ ભયાનક બીમારી SMA1 નામ ની બીમારી દશ હજાર બાળકો એ એક બાળક ને થાય છે તેની સારવાર ભારતમાં શકય નથી સારવાર માટે અમેરિકા થી 16 કરોડ નુ ઈંજેકશન માટે હાલ ગુજરાત ના ગામે ગામ ની સેવા ભાવી લોકો મદદે આવી છે ત્યારે આ તણ મહીના ના બાળક ની સહાય માટે વિજાપુર તાલુકા ક્ષતિય સમાજ અને યુવા ક્ષતિય સેના તાલુકા ટીમ ના સહયોગ દ્વારા ધૈયરાજસિહ રાઠોડ ની બીમારી ના ખચ માટે આજે વિજાપુર ના આજુબાજુ વિસ્તારમાં યુવાનો દ્વારા 22160 રુપિયા ફંડ ઉઘરાવવા મા આવ્યો હતો મદદ માટે ફાળો એકત્રિત કરી માનવતા નુ ઉદાહરણ પુરુ પાડયુ હતુ સમગ્ર ગુજરાત આ માસુમ બાળક ની મદદે આવ્યુ છે
પાછલી પોસ્ટ