દુર્ગાવાહિની ભાવનગર જિલ્લાની બહેનો દ્વારા પ્રતિ વર્ષની માફક આજે ગોપા અષ્ટમી નિમિત્તે તા. ૨૨-૧૧-૨૦૨૦ને રવિવારના રોજ ૧૦.૩૦ કલાકે ગૌ – માતા પૂજનનો કાર્યક્રમ વડવા તલાવડી, ફાટકની પાસે, પાંજરાપોળ ખાતે ગૌ – માતા પૂજન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગાવાહિનીની બહેનોએ ગૌ માતાનું પૂજન કરીને ઘાસચારો ખવડાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બહેનોએ આહ્વાન કર્યું હતું કે, દરેક શેરીઓમાં ગૌ માતાનું પૂજન કરવું જોઈએ.
(તસવીર / વિડિયો / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)