પંચમહાલથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે, શહેરા તાલુકાના સલામપુરા ગામમાં એકાએક મગર દેખાતા અફરાતરફીનો માહોલ મચી ગયો હતો.શહેરા તાલુકામા આવેલા તળાવોમાં મગરોની વસ્તી જોવા મળે છે.મગરો ઘણીવાર રહેણાક વિસ્તારમા ખોરાકની આવી જતા હોય છે.શહેરા તાલુકાના સલામપુરા ગામમાં સોલંકી ફળીયામા આવેલા ખેતરમા એકાએક મગર સ્થાનિકોમાં દેખાયો છે.સ્થાનિક લોકોએ આ બાબતે શહેરા વનવિભાગને જાણ કરી હતી.વનવિભાગના કર્મચારીઓએ સલામપુરા ખાતે આવીને રેસક્યુ ઓપરેશન હાથ ધરવામા આવ્યુ હતૂ. મગરની લંબાઈ ૬ ફુટ હતી.૭ વર્ષની ઉમંર ધરાવતો હતો.તેને સલામત રીતે ખાંડીયાની કુણ નદીમાં છોડી દેવામાં આવ્યો હતો”
નોધનીય છે કે શહેરા તાલુકામાં મગરોની વસ્તી તળાવો તેમજ પાનમહાઈલેવલ કેનાલમા પણ
વસ્તી જોવા મળે છે.