દીવ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ મંદિરે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ વર્ષે કોરોના મહામારીને ધ્યાન રાખી ને સાદગી પૂર્વક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યુ.
આ વર્ષે જલારામ મંદિર ને ૨૭ વર્ષ પૂર્ણ કરી ૨૮ મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી.પાટોત્સવ નિમિત્તે જલારામ મંદિર ખાતે ભજન કીર્તન તથા પ્રસાદનું આયોજન કર્યું હતું, ભાવી ભક્તો એ ખૂબજ શ્રદ્ધા પૂર્વક પ્રસાદ નો લાભ લઇને જલારામ બાપાના દર્શન તથા પૂજન કર્યું હતું..અને જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી