સંત શ્રી રોહિદાસ સેવા સમાજ સેક્ટર 6 ગાંધીનગર સ્મૃતિ મંદિર અને સેવા સંકુલ ગાંધીનગર ખાતે તારીખ 16.2.2022 ના રોજ સંત શ્રી રોહિદાસજી ની 645 મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી સાથે સાથે મંદિરે કેક કાપી તેમજ મહોત્સવ નિમિતે ધાર્મિક કાર્યક્રમો મંગળા આરતી રથ પથાન ધર્મસભા ભોજન પ્રસાદ સંત વાણી કાર્યક્રમો કરવામા આવ્યા હતા
તેમજ વર્ષની પ્રણાલિકા મુજબ ભવ્ય શોભાયાત્રા ગાંધીનગરમા કોરોનાની મહામારીને લઈને સરકાર શ્રી સુચના અનુસાર કોવિડની ગાઈડ લાઈન મુજબ પાટનગરના મુખ્ય માર્ગ પર કાઢવામા આવી હતી
આ શોભાયાત્રામા લોકો મોટી સંખ્યામા જોડાયા હતા આ જન્મ જયંતિના સમારોહમા સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામા આવ્યો હતો આ પ્રસંગે રોહિદાસ મંદિરના પ્રમુખ ડાહ્યાભાઈ પરમાર સહિત પ્રદીપભાઈ પરમાર ,ધારાસભ્ય આત્મરામભાઈ પરમાર, ધારાસભ્ય કરશનભાઇ સોલંકી, ધારાસભ્ય હિતેષભાઇ મકવાણા, ગાંધીનગર મેયર તેમજ સી.જે ચાવડા કોંગ્રેસના ધારાસભ્ય વગેરે તેમજ આ જન્મ જયંતિમા સંસ્થાના તમામ હોદેદારોના સાથ સહકાર થી જન્મજયંતિ ઉજવાઈ હતી