ઘણા દુખ સાથે – તૃણમૂલ કોંગ્રેસ ( TMC )ના સાંસદ મહુઆ મોઈત્રા ધ્વારા લોકસભામાં જૈન સમાજ વિશે અશોભનીય અને જૈન સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવું નિવેદન કરવામાં આવતા, આ સાથે ધોરાજીનો સમસ્ત જૈન સમાજ એમના નિવેદનને સખ્ત શબ્દોમાં વખોડે છે . આ સાથે વેદનસહ જણાવવાનું કે TMC સાંસદ મહુઆ મોઇત્રા એ લોકસભામાં જૈન સમાજને માંસાહારી ગણાવતુ જે નિવેદન કર્યું છે તે સંસદીય આચારને તોડી નાખનારૂ છે.ગૃહના ફલોર ઉપર આવું બેજવાબદારી ભર્યું નિવેદન આપતા પહેલા તેમણે ભારતિય સંસ્કૃતિ , ખાસ કરીને જૈન ધમૅની ખાણી – પીણીની વિધીઓ વિશે થોડો અભ્યાસ કરવો જોઈએ
.સમગ્ર વિશ્વ જાણે છે કે જૈન ધમઁના લોકો શુધ્ધ શાકાહારી સમાજ તરીકે વિશ્વભરમાં જાણીતા છે . પરંતુ TMC સાંસદની અભદ્ર ટીપ્પણી જૈન ધર્મની લાગણીઓ , વિચારો અને મૂલ્યોને બદનામ કરનાર તેમજ જૈન ધમૅની ગરીમાને હાની પહોંચાડનારી સીધી ટીપ્પણી છે .જૈન યુવકો અંગે તેમની ટીપ્પણી વાસ્તવીકતા થી તદન વિપરીત છે . જૈન ધર્મોં માં કંદમુળ ખાવા પણ વષઁય છે .’ ‘ અહિંસા પરમો ધમૅ ‘ ‘ નો સિધ્ધાંત જૈનોના પ્રાણ છે , ત્યારે એમની આવી અભદ્ર ટીપ્પણી સમસ્ત જૈન સમાજની ધાર્મિક લાગણીને ઠેંસ પહોંચાડનારી છે . ત્યારે આ આવેદનપત્રથી સમસ્ત જૈન સમાજ ધોરાજી આપને વિનંતી કરે છે કે TMC સાંસદ મહુઆ મોઈત્રા પોતાના નિવેદન બદલ જૈન સમાજની માફી માંગે તેમજ તેમના વકતવ્યના આ અંશોને લોકસભાના રેકોર્ડમાંથી હટાવવામાં આવે એવી આપશ્રીને વિનંતી કરી હતી