Aapnu Gujarat
Uncategorized

TMCના સાંસદ મહુઆ મોઇત્રાની ટીપ્પણી થી જૈન સમુદાય નારાજ

ઘણા દુખ સાથે – તૃણમૂલ કોંગ્રેસ ( TMC )ના સાંસદ મહુઆ મોઈત્રા ધ્વારા લોકસભામાં જૈન સમાજ વિશે અશોભનીય અને જૈન સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવું નિવેદન કરવામાં આવતા, આ સાથે ધોરાજીનો સમસ્ત જૈન સમાજ એમના નિવેદનને સખ્ત શબ્દોમાં વખોડે છે . આ સાથે વેદનસહ જણાવવાનું કે TMC સાંસદ મહુઆ મોઇત્રા એ લોકસભામાં જૈન સમાજને માંસાહારી ગણાવતુ જે નિવેદન કર્યું છે તે સંસદીય આચારને તોડી નાખનારૂ છે.ગૃહના ફલોર ઉપર આવું બેજવાબદારી ભર્યું નિવેદન આપતા પહેલા તેમણે ભારતિય સંસ્કૃતિ , ખાસ કરીને જૈન ધમૅની ખાણી – પીણીની વિધીઓ વિશે થોડો અભ્યાસ કરવો જોઈએ

.સમગ્ર વિશ્વ જાણે છે કે જૈન ધમઁના લોકો શુધ્ધ શાકાહારી સમાજ તરીકે વિશ્વભરમાં જાણીતા છે . પરંતુ TMC સાંસદની અભદ્ર ટીપ્પણી જૈન ધર્મની લાગણીઓ , વિચારો અને મૂલ્યોને બદનામ કરનાર તેમજ જૈન ધમૅની ગરીમાને હાની પહોંચાડનારી સીધી ટીપ્પણી છે .જૈન યુવકો અંગે તેમની ટીપ્પણી વાસ્તવીકતા થી તદન વિપરીત  છે . જૈન ધર્મોં માં કંદમુળ ખાવા પણ વષઁય છે .’ ‘ અહિંસા પરમો ધમૅ ‘ ‘ નો સિધ્ધાંત જૈનોના પ્રાણ છે , ત્યારે એમની આવી અભદ્ર ટીપ્પણી સમસ્ત જૈન સમાજની ધાર્મિક લાગણીને ઠેંસ પહોંચાડનારી છે . ત્યારે આ આવેદનપત્રથી સમસ્ત જૈન સમાજ ધોરાજી આપને વિનંતી કરે છે કે TMC સાંસદ મહુઆ મોઈત્રા પોતાના નિવેદન બદલ જૈન સમાજની માફી માંગે તેમજ તેમના વકતવ્યના આ અંશોને લોકસભાના રેકોર્ડમાંથી હટાવવામાં આવે એવી આપશ્રીને વિનંતી કરી હતી

Related posts

ઘેલા સોમનાથના શિવલિંગ પર સતત જળાભિષેક બંધ કરાયો

aapnugujarat

યુક્રેનમાંથી પરત આવવા માંગતા સુરેન્દ્રનગર જિલ્લાના વ્યક્તિઓ માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા

editor

મહુવામાં ત્રણ ઘરફોડ ઝડપાયા

editor

Leave a Comment

UA-96247877-1