ભારતીય સીમા ઓળંગીને પાકિસ્તાન મરીનની હદમા માછીમારી કરવા જતા ભારતીયો માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્રારા બંદીવાન બનાવવામા આવે છે જેમા 580 માછીમારોમાથી આજરોજ 20 જેટલા ભારતીય માછીમારો માદરે વતન પહોચયા છે જેમા 15 ગીર સોમનાથ જીલ્લાના અને 5 યુપીના માછીમારો છે .હજુપણ 560 જેટલા ભારતીય માછીમારો અને 1160 જેટલી બોટો પાકિસ્તાન મરીનના કબ્જામા છે જેમને છોડાવવા સરકાર દ્રારા પ્રયાસ હાથ ધરાયા છે
.આજરોજ 20 માછીમારો વેરાવળની ફિશરીઝ કચેરીએ પહોચ્યા બાદ પરીવારજનોને મળ્યા હતા.તે સમયે લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા .