ડભોઇ તાલુકાના કરનાળી ગામે નર્મદા નદી કિનારે સુપ્રસિધ્ધ યાત્રાધામ કુબેરભંડારી મહાદેવ મંદિર આવેલ છે ભક્તોની અતૂટ શ્રધ્ધા આ મંદિર ખાતે રહેલી છે મંદિર નિર્માણ સમય થી દેશભક્તિને ધ્યાન માં રાખી મંદિર પરીષરમાં ધ્વજારોહણ 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટે કરવામાં આવતું હોય છે
ત્યારે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ હોય મંદિર સંચાલક રજનીભાઈ પંડ્યાના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંદિર પરિષરમાં કર્મચારીઓ તેમજ ચાંદોદ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો પ્રજાસત્તાક પર્વના આ પાવન અવસરે મંદિર પરીષરને સુધાર રાષ્ટ્ર ધ્વજના શણગારથી શણગારવામાં આવ્યું હતું