ડભોઇ પંથક માં છેલ્લા એક માસ થી ચોર ટોડકી એ આતંક મચાવી દીધો છે હદ તો ત્યારે થઈ જ્યારે આજ રોજ ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના જનસંપર્ક કાર્યલયના તાડા તૂટ્યા જેને લઈ નગર માં અનેક ચર્ચા એ વેગ પકડ્યું છે અને પોલીસ ની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે જ્યારે શૈલેષભાઈ ને માલૂમ પડતાં ભાજપ ના કાર્યકરો અને ધારાસભ્ય પોતે કાર્યલાય પહોચ્યા હતા. અને પોલીસ ને જાણ કરી હતી. વધુ મળતી વિગત મુજબ ડભોઇ ના અન્ય 4 સ્થળો એ પણ તાળાં તૂટ્યા હોવાની આશંકા છે પોલીસ હાલ તપાસ કરી રહી છે.
વધુ મળતી માહિતી મુજબ ડભોઇ પંથકમાં છેલ્લા ઘણા સમય થી ચોરો નો આતંક યથાવત રીતે વધી રહ્યો છે હાલ થોડા સમય પૂર્વે ડભોઇની નામચીન બેન્ક એચ.ડી.એફ.સી.ના તાળાં તૂટ્યા હોવાના સમાચાર પણ વાયુવેગે પ્રશ્રયા હતા ત્યારે આજે વહેલી સવારે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાનું આયુષ સોસાયટી ખાતે આવેલ જનસંપર્ક કાર્યલાયનું તાળું તૂટ્યું સફેદ કલરને ઇકો ગાડીમાં 3 જેટલા અજાણ્યા ઇસમો કાર્યલાય માં તાળું તોડી પ્રવેશ કર્યો પણ કઈ હાથ ના લાગ્યું તો બીજી તરફ નગર ને આયુસ સોસાયટી, વૈશાલી સોસાયટી, સહિત ખારાદી આગા વિસ્તારમાં બે મકાનોના તાળાં તૂટ્યા સમગ્ર બનાવમાં કોઈ પણ સ્થળે થી ચોરોને હાથ કઈ લાગ્યું ન હતું પણ અવાર નવાર બનતી ચોરીની ઘટના એ નગરજનોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે તો બીજી તરફ ભાજપ સરકારના રહેતા પોલીસ તંત્રની નિસક્રિય કામગીરી પણ સામે આવી રહી
છે આજે ભાજપ કાર્યાલય પણ સુરક્ષિત નથી તો નગરજનો કેવી રીતે સુરક્ષિત રહેશેની ચર્ચાએ જોર પકડ્યું છે જ્યારે પોલીસ હાલ ચોર ટોડકીને ઝડપી પાડવા માટે એડીચોટીનું જોર આજમાવી રહી છે એલ.સી.બી.,એસ.ઑ.જી. સહિત સંખ્યા બંધ પોલીસ સ્ટાફ ચોર ટોડકીને ઝડપી પાડવા ના કામે લાગી છે. જ્યારે આ પ્રસંગે શૈલેષભાઈ મહેતા દ્વારા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સાંઘવીને પણ આ વિષે રજૂઆત કરવામાં આવી છે