Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ શહેરને નવું નજરાણુ મળ્યુ

મનીષા પ્રધાન, અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને SRFDCL ના સંયુક્ત ઉપક્રમે સાબરમતી રિવરફ્રન્ટ ફ્રન્ટ પર આંબેડકર બ્રીજની નીચે રૂ.ર.૨૫ કરોડના ખર્ચે બાયો-ડાયવર્સિટી પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.
જેના વિસ્તરણની કામગીરી કરીને ૪૫ હજાર જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
” અમદાવાદ શહેરને નવા નજરાણા સ્વરૂપે બાયો ડાયવર્સિટી પાર્ક મળી રહ્યો છે તેમ જણાવતા ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સતત વિકસતાં જતા અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક રમણીય પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેમા સાબરમતીના તટે લુપ્ત થઈ રહેલી અનેક પ્રજાતીના વૃક્ષોનું વાવેતર કરીને પ્રકૃતિનું સંવર્ધન અને સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે.જે શહેરનાં પ્રકૃતિ પ્રેમી લોકો માટે આનંદની વાત છે.
અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટ અંતર્ગત શહેરની મધ્યમાં ઘનઘોર જંગલ વિકસાવવાની પધ્ધતિથી શહેરનું તાપમાન અને વાતાવરણમાં બદલાવ આવવાથી પશુ, પંખીઓ માટે આ પાર્ક વિશ્રામનું સ્થળ બની રહેશે તેમ મંત્રી શ્રી એ જણાવ્યું હતું.
ગૃહમંત્રી શ્રી એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે જંગલમાં જોવા મળતી વનસ્પતિઓનું અહીં વાવેતર કરવાથી પ્રકૃતિ પ્રેમી લોકો અહીં આવીને શાંતિનો અનુભવ કરી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સદર પાર્કમાં ૧૨૦ પ્રજાતીના ૭૦૦૦ જેટલા વૃક્ષો અને વિસ્તરણ થતાં ૧૭૦ પ્રજાતીના ૪૫ હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેમા રબર,કપૂર,સિંદૂર, રુદ્રાક્ષ,અંજીર, રકતચંદન,સિસમ,સિ-ગ્રેપ,રુખડો,ચરોલી,ઢવ,ખીજડો,ખેર,પીલખન જેવી લુપ્તપ્રાય થઈ રહેલી ૧૩૪ જેટલી પ્રજાતિઓના વૃક્ષો વાવ્યા છે. ફળાઉ વૃક્ષો અને વનસ્પતિઓનો ઉપયોગ અહીં આવતા પક્ષીઓના ખોરાક માટે કરવામાં આવશે.
પાર્કમાં વનસ્પતિની ઓળખ માટે નેઈમ પ્લેટ લગાવવામાં આવી છે તથા શહેરીજનો અંહી આવી શકે તે માટે પ્રવેશ ફી નકી કરવામાં આવી છે. જેમાં શૈક્ષણિક પ્રવાસના વિદ્યાર્થીઓ માટે ૦૧ રૂ, દિવ્યાંગ અને ૫ વર્ષ સુધીના બાળકો માટે નિ:શુલ્ક , ૬૦ વર્ષ થી વધુ અને ૫ થી ૧૨ વર્ષની વય ધરાવનાર માટે ૧૦ રૂ. અને ૧૨ થી વધુ વયની તમામ વ્યકતિઓ માટે ૨૦ રૂ.એન્ટ્રી ફી રાખવામાં આવી છે. પાર્કનો સમય સવારના ૭.૦૦ કલાકથી સાંજના ૫.૦૦ કલાક સુધી રહેશે. તથા સાંજના ૪.૩૦ કલાક પછી પ્રવેશ ટીકિટ ઇસ્યુ કરવામાં આવશે નહિ. આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી કિરીટકુમાર પરમાર, પૂર્વ મેયર શ્રીમતી બીજલબેન પટેલ, એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર સુશ્રી ગીતાબેન પટેલ, એલિસબ્રીજ ધારાસભ્ય રાકેશ શાહ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના પધાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રાજ્યમાં કોવિડ-૧૯નાં નવા ૧૬ કેસ નોંધાયા

aapnugujarat

श्रेयस कॉम्प्लेक्स से मकरबा पुलिस हेड क्वार्टर्स तक की ड्रेनेज लाइन का सीसीटीवी से डिसिल्टिंग किया जाएगा

aapnugujarat

વડોદરા : મંદિરમાંથી મળેલી બાળકીનું કરાયું નામકરણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1