જેતપુરથી અમારા સંવાદદાતા જયેશ સરવૈયા જણાવે જણાવે છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની આડે ગણતરી ના દિવસો છે ત્યારે જેતપુર તાલુકા યુવા માળખાના ભાજપના મહામંત્રીએ રાજીનામુ આપી દીધું છે. મહામંત્રી બનેલા સુરેશ મકવાણા એ રાજીનામું ધરી દીધું છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ રાજકોટ જિલ્લાના રાજકારણમાં અનેકવિધ સમીકરણોને બદલી નાખ્યા છે,
સુરેશભાઈ મકવાણા એ પાર્ટી પર આક્ષેપ કરતા આ ચૂંટણી માં યુવાનોને નજર અંદાજ કર્યા છે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં યુવાનોને ટિકિટ ન આપતા તેમજ મહામંત્રી ખાંટ રાજપૂત સમાજ માંથી હોય ખાંટ રાજપૂત સમાજને ટીકીટ બાબતે અન્યાયનો પણ કરાયો આક્ષેપ ખાંટ રાજપૂત સમાજને ભાજપ પક્ષ દ્વારા 5 ટિકિટ આપવાની હતી પરંતુ 3 જ આપતા આપ્યું
સુરેશભાઈ મકવાણાએ પોતાનું રાજીનામુ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને તાલુકા ભાજપ પ્રમુખને મોકલ્યું વોટ્સઅપ ના માધ્યમથી પાર્ટી ને રાજીનામુ મોકલ્યું