મોદી કેબિનેટે આજે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શિક્ષણને લઈને મોટો નિર્ણય લીધો છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ૫૯,૦૦૦ કરોડની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાથી ૪ કરોડથી પણ વધારે વિદ્યાર્થીઓને ફાયદો થવાનો છે. શિષ્યવૃતિમાં ૬૦ ટકા કેન્દ્ર અને ૪૦ ટકા રાજ્ય સરકાર આપશે.
કેબિનેટના આ નિર્ણય વિશે જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ હતું કે, ભારત સરકારે ડીટીએચ સેવા આપવા માટે દિશા નિર્દેશોમાં સંશોધન કર્યુ છે. ડીટીએચ લાયસન્સ ૨૦ વર્ષ સુધી ચાલુ રહેશે.
ડીટીએચ ક્ષેત્રને ૧૦૦ ટકા એફડીઆઈમાં સામેલ કરવામાં આવ્યુ છે. પહેલા વાણિજ્ય મંત્રાલય ૧૦૦ ટકા વિદેશી રોકાણને મંજૂરી આપી હતી. પણ માહિતી ખાતાની ગાઈડલાઈન અનુસાર તેને સમગ્રપણે લાગૂ કરી શક્યા નહીં. જોકે હવે યોગ્ય રીતે લાગૂ કરવાનો રસ્તો કેબિનેટ સાફ કરી દીધો છે.
પાછલી પોસ્ટ