સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પક્ષ દ્વારા સુરેન્દ્રનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં પત્રકારો સાથે બેઠક યોજી અને જિલ્લા ભાજપના હોદ્દેદારો અને પ્રદેશના હોદ્દેદારો દ્વારા ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે વહેલી સવારે ભાજપ પ્રદેશ પ્રવક્તા ઋત્વિજ ભાઈ પટેલ સહિતના પ્રદેશના મહાનુભાવો અને હોદ્દેદારો ઉપસ્થિત રહી અને પત્રકારો સાથે ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ત્યારે આ મામલે ગેટ ટુ ગેધર કાર્યક્રમમાં જે બજેટ તાજેતરમાં રજૂ થયું છે તેના વિશે વાત-ચીત પત્રકારો સાથે કરવામાં આવી છે અને અન્ય રીતે લોકોની સુવિધામાં વધારો થાય અને જે લોકોની સમસ્યા જાણી અને તે હલ થાય તેવા પ્રયાસો ભાજપના પ્રદેશ નેતાઓ અને જિલ્લાના નેતાઓએ હાથ ધર્યા છે તેવા સંજોગોમાં આજે સર્કિટ હાઉસ ખાતે ભાજપના પ્રદેશ પ્રવક્તા ઋત્વિજ પટેલની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ત્યારે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતમાં જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણા ડોક્ટર ઋત્વિજ પટેલ સુરેશ માંગુકિયા ,સુરેશ પરમાર ગજેન્દ્ર ચૌહાણ અને ખાસ ઉપસ્થિતિમાં જિલ્લા મીડિયા સેલના કન્વીનર ભાવેશભાઇ પ્રજાપતિ ઉપસ્થિત રહી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી અને પત્રકારો સાથે ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે