રાજ્યમાં વધતા ક્રાઈમ રેટ અને એમાંય ખાસ કરીને મોબાઇલ ફોન આવતા યુવાનો અને યુવતી ઓમા જે ફેશન અને વ્યશનનો ક્રેઝ ફેલાયો છે અને આ નશો તેમને ગુન્હા સુધી લઇ જાય છે જે તેની જિંદગી બરબાદ કરી નાખે છે આ બાબતને લઈને આજે સુરેન્દ્રનગરના રતનપર ખાતે આવેલ નીલકંઠ વિદ્યાલય સ્કૂલમાં મહિલા અને બાળમિત્રના સભ્યો તેમજ જોરાવરનગર પ્રો.પી.આઈ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે અને જાતીય સતામણી જાતીય શોષણ અને મોબાઇલના દુરુપયોગ બાબતે થતા નુકસાન અંગે અને વિદ્યાર્થીઓની જાગૃતિ માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
જેમાં જોરાવરનગર પ્રો પી આઈ જે.પી. ચૌધરી સાહેબ મહિલા અને બાળ મિત્રના જિલ્લા કો ઓર્ડિનેટર શ્રી રેખાબેન પીઠના મહિલા અને બાળ મિત્રના સભ્ય મનોજભાઈ નાકિયા તેમજ અશોકભાઈ પરમાર તથા સામાજીક આગેવાન સતિષભાઈ ગમારા, પ્રફુલભાઇ પટેલ, સુરેશભાઈ દલવાડી તેમજ પ્રિન્સીપાલ સાહેબ મહેશભાઈ તેમજ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.