આજ રોજ અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પર ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલનુ ટેન્કર ખાલી કરતાં અકસ્માતે આગનો બનાવ બનવા પામ્યો છે પરુતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને આ આગમા આખે આખુ ટેન્કર બળીને ખાખ થઈ ગયુ હતુ. ફાયર બ્રિગેડના જવાનો એ આવીને તાત્કલિક આગ ઉપર કાબુ મેળવીને મોટી જાનહાનિ થતાં રોકી હતી.
વધુમાં આપને જણાવી દઈએ અમદાવાદના સૌથી ભીડભાળ વાળી જગ્યા જમાલપૂર ચાર રસ્તા નજીક આવેલા પેટ્રોલ પંપ પર બ્લાસ્ટ થયો હતો. જે બાદ પેટ્રોલ પંપ પર લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. પેટ્રોલ પંપમાં અચાનક ધડાકાભેર આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો ,ફાયર વિભાગની 5 ટીમોએ આગ કાબૂ લેવા જહેમત હાથ ધરતા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો
જમાલપુર ચાર રસ્તા નજીક આવેલા પેટ્રોલ થયેલા આ ધડાકાને કારણે આસપાસના રાહદારીઓ અને દુકાનદારો ડરી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. તાત્કાલિકના ધોરણે ફાયર વિભાગને કોલ જોડવામાં આવતા ગણતરીની મિનિટોમાં જ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી