રાધનપુર પોલીસ સ્ટેશનેના પી.આઇ જી.આર રબારીને તપાસ સોંપવામાં આવી .અમદાવાદની યુવતીને દાદરનો આરોપી ફુલહારથી લગ્ન કરવા સમીના દાદરમાં લાવ્યો હતો તે આરોપીએ યુવતીની હત્યા કરીને ઓળખ ન થાય તે માટે લાશને બાળી નાખી તે પકડાય નહિ તેનુ કાવતરુ ઘડ્યુ હતુ .આરોપીએ કયા કારણોસર યુવતીને મારી નાંખી , કોની સાથે મળીને અંજામ આપ્યો તે જાણી શકાયું નહિ પણ ઘણી તપાસ બાદ આરોપીનું કરેલ કાળુ કરતુશ અને હત્યા કર્યા બાદ તેણે પણ આત્મહત્યા કરી લેવાનું રહસ્ય સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
પાટણ જિલ્લાનાં સમી તાલુકાના દાદર ગામે 2 વર્ષ અને 10 મહિના પૂર્વે એટલે કે , તા 22 એપ્રિલ , 2019 ની રાત્રે સમીના દાદર ગામે ગામનાં જ આરોપી યુવાને અમદાવાદની એક યુવતી હત્યા કરી હતી . તેમજ તેની ઓળખ ન થાય માટે તેને બાળી નાખી હોવાની જૂની ઘટનાનો પર્દાફાશ અમદાવાદની એરપોર્ટ પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ એસ.જી. કુણપરાએ કર્યો હતો .સાથે સાથે આ યુવતીની હત્યા કરવાનો જેની પર આક્ષેપ છે તે યુવાને પણ યુવતીની હત્યાના અઢી મહિના બાદ તા .11 જુલાઈ , 2019 ના રોજ પોતાનાં ખેતરમાં અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી . આ પોણા ત્રણ વર્ષ જુના હત્યાકાંડ અંગે અમદાવાદના પીએસઆઇએ સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે સમીના દાદર ગામના શંકર વજાભાઇ સામે આઇ.પી.સી 302 , 201 મુજબ ગુનો નોંધ્યો હતો .