Aapnu Gujarat
Uncategorized

તાજ ઉપર હુમલો થયો ત્યારે યુવરાજ ક્યાં ગયા હતાં ? : સ્મૃતિ ઈરાની

જૂનાગઢ શહેરના જોષીપરામાં આજે ભાજપ દ્વારા યોજાયેલા મન કી બાત, ચાય કે સાથ કાર્યક્રમમાં હાજર ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા સવાલ ઉઠાવ્યો હતો કે, જ્યારે મુંબઈમાં તાજ ઉપર હુમલો થયો ત્યારે યુવરાજ ક્યાં ગયા હતાં ?જૂનાગઢના જોષીપરામાં આજે સવારે ભાજપ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં તેઓએ પોતાનો એક માસનો પગાર આર્મી વેલ્ફેર ફંડમાં અર્પણ કરવાની જાહેરાત કરતા કહ્યું હતું કે, બધા સાથે મળીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકે તે માટે અહી એકત્ર થયા છીએ. આજે સંવિધાન દિવસ નિમિત્તે તેઓએ બધાને શુભેચ્છા પાઠવી હતી. જ્યારે મુંબઈ હુમલાની તારીખ હોય, આ હુમલામાં શહીદ થયેલા સુરક્ષા કર્મચારીઓને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યક્રમો હાજર રહ્યા હતાં.

Related posts

મગફળી આગ કેસ : ટૂંકમાં એફઆઈઆર દાખલ થશે

aapnugujarat

ગુજરાતના દરિયાકાંઠાનો સર્વાંગી વિકાસ એ કેન્દ્ર સરકારની પ્રથમ અગ્રતા: કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા

aapnugujarat

વાતાવરણમાં પલટો : સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ નોંધાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1