Aapnu Gujarat
Uncategorized

લીંબડી ખાતે દેશની રક્ષા કાજે શહિદ થયેલા વીર શહીદોનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

સુરેન્દ્રનગરના લીંબડી ખાતે 14 ફેબ્રુઆરી 2019 ના દિવસે શહીદ થયેલા વીર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.લીંબડી ખાતે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા 14 ફેબ્રુઆરી 2019 ના રોજ શહિદ થયેલા વીરોએ પોતાના દેશ માટે શહાદતને યાદ કરી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દેશની ત્રણેય પાંખ જે દેશની દિવસ રાત રક્ષા કરી રહ્યા છે ત્યારે આ જવાનો દેશની આન બાન અને શાન છે ત્યારે 2019 અને 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકવાદીઓ દ્વારા સીઆરપીએફના જવાનો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો

અને આપણા દેશના 40 વીર જવાનો શહીદ થયા હતા ત્યારે તમામ શહિદોને આજે લીંબડી ખાતે શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેર જીલ્લા મહામંત્રી ડીયુ પરમાર જીલ્લા પ્રવક્તા ડીડી ઝાલા, પ્રવિણભાઇ પટેલ, કિશનભાઇ સોલંકી, નરેન્દ્ર વાણીયા, ગણપત ડાભી અને વિપુલ મકવાણા સહિતના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા.

Related posts

જૂનાગઢના પૂર્વ મેયર જીતુભાઈ હીરપરાનું અકસ્માતમાં મોત

aapnugujarat

મુખ્યમંત્રી રૂપાણીએ કુળદેવીનાં દર્શન કર્યાં

aapnugujarat

बिना इंजन 220 किमी प्रति घंटे से चलेगी वंदे भारत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1