સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીની પ્રદેશ ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં આપની જિલ્લાની ટીમમાં આંતરિક વિખવાદથી આપની પ્રદેશ ટીમ દ્વારા આપના જિલ્લાના તમામ હોદેદારોની બરખાસ્ત કરતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો અને ત્યારબાદ તમામ વિવાદોનો અંત લાવવા આમ આદમી પાર્ટીની ગુજરાત પ્રદેશ ટીમ અને સૌરાષ્ટ્ર દક્ષિણ સહિત સુરેન્દ્રનગર જિલ્લા સંગઠન મંત્રી રાજભા ઝાલા દ્વારા ચોટીલા તાલુકાના ડોળીયા ગામના તળપદા કોળી પટેલ સમાજના શિક્ષિત અને સનિષ્ઠ સામાજીક યુવા આગેવાન રમેશભાઈ વાલજીભાઈ મેરને આમ આદમી પાર્ટીના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરીને કોળી સમાજના યુવા આગેવાન રમેશભાઈ મેરને પ્રમુખનો તાજ પહેરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરો સહિત કોળી સમાજના લોકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી
અને રમેશભાઈ મેરને સમાજના આગેવાનોએ આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ નિમણૂક થવા બદલ ખુબ ખુબ અભિનંદન અને ઢેર. સારી શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. ચોટીલાના ડોળીયા ગામના તળપદા કોળી પટેલ સમાજના યુવા આગેવાન રમેશભાઈ મેરને આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખનો તાજ પહેરાવવામાં આવતા કોળી સમાજના આગેવાનોએ શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવી.