Aapnu Gujarat
Uncategorized

ધંધુકાના યુવાન કિશન ભરવાડની હત્યા મામલે ગોધરામાં હિન્દુરક્ષા મંચ દ્વારા તંત્રને આવેદનપત્ર

પંચમહાલ જિલ્લા હિન્દુ રક્ષા મંચ દ્વારા ધંધુકા નગરમાં યુવાનની કિશન ભરવાડની હત્યા મામલે

વહીવટીતંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જિલ્લા વહીવટીતંત્રને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગુજરાતના ધંધુકા નગરમાં એક હિન્દુ યુવાન કિશન ભરવાડની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે,અને હત્યાના તાર પાકિસ્તાની ખુફિયા એજન્સી આઇએસઆઇ સાથે જોડાઈ ગયા છે.ત્યારે કટ્ટરવાદીઓને મોકળુ મેદાન મળી રહ્યુ છે.

હિન્દુ રક્ષા મંચ દ્વારા વિનંતી કરવામાં આવે છે કે આવા કટ્ટરવાદીઓ સામે સખતમાં સખત કાર્યવાહી થાય અને તેમને ફાંસીની સજા આપવામાં આવે. ગુજરાતમાં કટ્ટરવાદ ચાલી શક્યો નથી.અને તેમની સામે કાર્યવાહી કરવા વિનંતી છે, આવેદન આપવા હિન્દુ રક્ષા મંચના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

Related posts

ખાતર કૌભાંડ : અનેક સ્થળો પર જનતા રેડથી સનસનાટી

aapnugujarat

ધ્રાંગધ્રા ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે રૂરલ ક્રિકેટ ટીમનુ કરાયુ સિલેક્શન

editor

આબરડી સફારી પાર્ક મુદ્દે હાઇકોર્ટે માંગેલો ખુલાસો : શુક્રવાર સુધી જવાબ રજુ કરવા આદેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1