ધંધુકામા થયેલી હત્યાના હત્યારાઓ,આરોપીઓને કડકમાં કડક સજા કરવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તથા ગોપાલ સેના દ્વારા ડીસા પ્રાંતઅધિકારી અને મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી થોડાક દિવસો અગાઉ અમદાવાદ જિલ્લાના ધંધુકાના કિશન ભરવાડ નામ ના યુવાન દ્વારા સોશિયલ મિડીયામા મુકવામા આવેલી પોસ્ટ બાબતે વિવાદ સર્જાયો હતો જે બાદ યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી.
તેમજ પાટણ જિલ્લાના રાધનપુરમાં વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતી પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવેલ જેને લઈ હિન્દુઓમા રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજ રોજ ડીસા ખાતે વિશ્વ હિન્દુ પરીષદ, ગોપાલ સેના, બજરંદળ ડીસા પ્રખંડ દ્વારા રેલી નિકાળી પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરી સુધી નારેબાજી કરવામા આવી હતી ત્યાર બાદ ડીસા પ્રાંત અધિકારી અને મામલતદાર ને આવેદન પત્ર પાઠવી આરોપીઓ સામે કડકમા કડક સજા થાય તેવી માગ કરી હતી..