વઢવાણના ઐતિહાસિક ગઢને બચાવવા ઉપવાસ આંદોલનનું રણશીંગુ ફુંકાયુ વઢવાણ ગઢ બચાવો સમિતિ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયુ હતુ.વઢવાણ વોર્ડ નંબર ૧૨ ના ભાજપના સદસ્ય હિતેશ્રવરસિંહ મોરી, શ્રી કમલેશભાઈ કોટેચા રાજુભાઈ ગઢવી, સહીતના આગેવાનો સહિત યુવાનો ઉપવાસ આંદોલનમાં જોડાયા, વઢવાણ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
ગઢ તોડનાર શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધી કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નહી આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થવાનાં પણ એધાંણ પણ વર્તાઈ રહ્યા છે. વઢવાણ બંધ જેવાં અનેક કાર્યક્રમ યોજવામાં આવશે તેવી ચીમકી પણ તેઓ દ્વારા ઉચારવામાં આવી હતી