સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા આયોજન કરવામાં તિરંગા યાત્રા ને હિંમતનગર નગરપાલિકાના મહિલા પ્રમુખ યતીન બેન મોદી દ્વારા લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું શહેરના મહાવીરનગર થી રેલી યોજી છાપરીયા ચોકડી દુરગા બજાર થઈ ટાવર ખાતે રેલીનું સમર્પણ કરવામાં આવ્યું હતું
ત્યારબાદ ભારતમાતાની મહા આરતી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં હિંમતનગર નગરપાલિકાના મહિલા પ્રમુખ યતીન બેન મોદી ઉપપ્રમુખ અમૃતભાઈ પુરોહિત સહિતના સદસ્ય જોડાયા હતા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ સહિતના હિન્દુઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા 121 ફૂટ તિરંગા યાત્રા હિંમતનગર શહેરમાં પરિભ્રમણ કરી ટાવર ખાતે કાર્યક્રમને પૂર્ણ વિરામ આપવામાં આવ્યું હતું.