વેરાવળ તા.૧૮, સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાને લઈ તકેદારી રાખવામાં આવી રહી છે. સંક્રમતિ વ્યક્તિના થુકવાના કારણે કોરોના રોગ ફેલાવો થવાની શક્યતા રહેલી છે. જેથી રાજ્ય સરકારે જાહેરમાં થુકવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. જાહેર સ્થળોએ થુકનારને રૂા.૫૦૦નો દંડ કરવામાં આવશે. આ દંડની રકમની વસુલાત નગરપાલિકા વિસ્તારમાં સબંધિત નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતના સબંધિત કર્મચારીઓ દ્રારા કરવાની રહેશે. તેમ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.
મહેન્દ્ર ટાંક સોમનાથ