ફેમસ ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી લો બ્લડપ્રેશર તથા નબળાઈને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. છેલ્લાં ઘણાં સમયથી કામની વ્યસ્તતાનાં કારણે તેની તબિયત લથડી હોવાનું જાણવા મળ્યું છે. શ્વેતાની નજીકનાં લોકોનું કહેવું છે કે, શ્વેતા ઝડપથી સાજી થઈને પરત ફરશે. શ્વેતા એક ફાઈટર છે.
શ્વેતાના સમાચાર મળતાંની સાથે જ તેનાં પૂર્વ પતિ અભિનવ કોહલીએ પ્રતિક્રિયા આપતાં એક પોસ્ટ શૅર કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, ‘હું મારા દીકરાને મળી શકું અને સાથે રહી શકું તે માટેની લડાઈ અલગ છે અને તે કોર્ટમાં ચાલે છે. ભગવાનને પ્રાર્થના કે શ્વેતા જલદીથી ઠીક થઈ જાય. બિચારા એક્ટર તમારા બધાની સામે સુંદર દેખાવવાના ચક્કરમાં તથા તમારો વધુ પ્રેમ મેળવવા માટે વધુ બૉડી બનાવે છે અને એક દિવસ તેમનું હૃદય થાકી જાય છે.’ આ પોસ્ટ પર શ્વેતાના ચાહકોએ અભિનવને ઘણું જ સંભળાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્વેતા હંમેશાથી તેની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહી છે. શ્વેતાએ પોતાના પતિ અભિનવ કોહલી પર મારપીટનો આરોપ લગાવ્યો હતો અને પોલીસ કેસ કર્યો હતો. શ્વેતાએ આ પહેલાં રાજા ચૌધરી સાથે લગ્ન કર્યાં હતાં અને તેની સાથે ડિવોર્સ થતાં તેણે અભિનવ સાથે લગ્ન કર્યા હતાં
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ