ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
અત્યારે કોરોનાની પરિસ્થિતિને નાથવા રસીકરણ એક શસ્ત્ર ત્યારે મહારસીકરણ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. પરંતુ ઠેર-ઠેર રસીની અછત જોવા મળી રહી છે.ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલામાં પાંચ દિવસ બાદ રસીનો જથ્થો આવ્યા બાદ ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન ઝુંબેશ ફરી શરૂ કરવામાં આવી છે.